અંજીર અને ખજૂરને ત્રણ થી ચાર કલાક પલાળી રાખવા.
પછી પાણીમાંથી કાઢી, બંનેને અલગ અલગ મિક્સરમાં ઝીણું પીસી લેવું.
ત્યારબાદ પછી એક કઢાઈમાં ઘી મૂકી અંજીર–ખજૂરની પેસ્ટને સાતળવું.
માવો જાડો થઈ જાય પછી તેમાં કાજુ-બદામ અને પિસ્તાનાં ટુકડા નાખવા.
પછી એક થાળીમાં ઘી લગાડી ઢાળી દેવું, અને ઠંડું પડે પછી ચકતા પાડવા.