કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત
February 1, 2025

નીતિ  સાચી  રાખજ્યો, સહુનું  ઇચ્છજો  હિત;
      જ્ઞાન તો ઉપરવાળો કદિ, નહિ થવા દે અહિત...૦૧

કર્મ  કરતા  પહેલાં   જ,  વિચાર   કરજો   આમ;
       જ્ઞાન આનું ફળ શું મળશે ? પછી જ કરજો કામ...૦૨

માણસ  સુખની  શોધમાં,  નીતિને  ભૂલી  જાય;
      જ્ઞાન અનીતિ કરી બેસે, પછી  દુ:ખી  બહુ  થાય...૦૩

               રચયિતા : પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામ