
વહાલા ભક્તો ! આપણે એ વાત સારી રીતે સમજીએ છીએ કે પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિ અન્ય કોઈ સાધનોથી કોઈ કાળે થઈ શકતી જ નથી. તેમની પ્રાપ્તિ તો માત્ર ને માત્ર તેમની પોતાની કૃપાથી જ થાય છે અને તે પૂર્ણ પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમના પ્યારા સંતો-ભક્તોની કૃપા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો રાજીપો મેળવવો અનિવાર્ય છે.
આ દૃષ્ટિએ શ્રીહરિના પ્યારા સંતો-ભક્તોનો રાજીપો એ આપણા આધ્યાત્મિક માર્ગની સૌથી મોટી મૂડી છે. એક દૃષ્ટિએ કહીએ તો એ જ આપણા આધ્યાત્મિક માર્ગનું પેટ્રોલ છે, એ જ આપણા આધ્યાત્મિક જીવનનું ઓક્સિજન છે. તેથી આપણે સહુ વધુ ને વધુ સંતો-ભક્તોનો રાજીપો મેળવવા માટે સદા લાલાયિત હોઈએ છીએ અને તેને માટે સેવા-ભજન આદિક કરતા હોઈએ છીએ; પરંતુ ખરેખર સાચા અર્થમાં આપણને રાજીપો જ મળી રહ્યો છે અથવા આપણે રાજીપો જ સ્વીકારી રહ્યા છીએ કે રાજીપાના નિમિત્તે કાંઈક બીજું પણ મેળવીને તેનાથી જ સંતુષ્ટ થઈ જઈએ છીએ ? આ એક મોટો પ્રશ્ન છે. કેમ જે, રાજીપો અને વખાણ બંને એકસાથે જ આવતાં હોય છે. તે બેમાંથી આપણે શું સ્વીકારીએ છીએ ? તે અગત્યનું છે. તે બંનેમાં ખૂબ પાતળી ભેદરેખા હોય છે; પરંતુ વહાલા ગુરુજી અને પૂ.દયાળુ સ્વામીએ કથામાં સમજાવેલ અમુક સંકેતોને આધારે તે ભેદરેખા સમજવાનો થોડો પ્રયાસ કરીએ.
જો વખાણ સ્વીકારાતા હોય તો...
જો રાજીપો જ સ્વીકારાતો હોય તો...
વહાલા ભક્તો ! રાજીપો અને વખાણ બંને એક સિક્કાની બે બાજુ છે. તે બંને એકસાથે જ પ્રાપ્ત થતાં હોય છે; પરંતુ આપણે બેમાંથી જેને સ્વીકારીએ તે આપણને ભગવદ્પ્રાપ્તિના માર્ગે પ્રગતિ તરફ કે અધોગતિ તરફ લઈ જતા હોય છે. આપણે રાજીપો સ્વીકારીએ છીએ કે વખાણ ! તે પ્રાય: બાહ્ય પ્રકલ્પોને આધારે નક્કી કરી શકાતું નથી. પરંતુ આપણા અંત:કરણમાં ચાલતા ઉપર મુજબના પ્રવાહોને આધારે આપણે વખાણ કે રાજીપો તે બેમાંથી શું સ્વીકારીએ છીએ ? તે ખ્યાલ આવે છે.
જો આપણે રાજીપાને બદલે વખાણ સ્વીકારતા હોઈએ તો ભગવાનની પ્રાપ્તિ માટે કરેલ સર્વે મહેનત માયા માટે થઈ જાય છે અને જો રાજીપો જ સ્વીકારતા હોઈએ તો ભગવદ્પ્રાપ્તિની સ્પીડ ખૂબ વધી જાય છે. માટે જો જલ્દીથી ભગવાનને જ પામવાનો એક ઈશક હોય તો અંત:કરણમાં ચાલતા પ્રવાહોથી સાવધ રહી સંતો-ભક્તોની મદદ લઈ તેમની કૃપાથી રાજીપાના માર્ગે આગળ વધવાનો વિશેષ પ્રયાસ કરીએ.
હે પરમ હિતકારી મહારાજ ! જન્મોજન્મથી અમે માન-વખાણના જ ચાહક રહ્યા છીએ અને તેના જ હેવાયા થઈ ગયા છીએ. તેથી આ જન્મે પણ ઘણી વાર આપનો તથા આપના વહાલાઓનો રાજીપો જ સ્વીકારવાને બદલે
માન-વખાણ સ્વીકારીને માયામાં જ ગોથાં ખાતા રહીએ છીએ. આપ જ કૃપા કરીને આપની માયાથી બચાવજો, શુદ્ધ રાજીપાના ચાહક બનાવજો અને આપ જ કૃપા કરીને આપની પ્રાપ્તિ કરાવજો...!!