અખંડ સ્મરણનો પ્રતાપ

અખંડ સ્મરણનો પ્રતાપ
October 15, 2024

અખંડ સ્મરણ કરે તે પર, રાજી થાય બહુ નાથ; 

જ્ઞાન સુખ દુ:ખમાં તેનો, ઝાલી રાખે હરિ હાથ...૦૧ 

અખંડ સ્મરણ કરાય તો, દોષો ભાગી જ જાય; 

જ્ઞાન દોષો જાય તો જ, હરિસુખ સતત પમાય...૦૨ 

જ્ઞાન ભાગ્યશાળીથી જ, અખંડ સ્મરણ થાય; 

અખંડ સ્મરણ કરે તે તો, જીવતો મુક્ત ગણાય...૦૩ 

જ્ઞાન હરિસુખ પામવા, અખંડ સ્મરણ કરાય; 

એથી રાજી થઇ વાલો, સુખ આપે છે ધરાય...૦૪ 

હરિને વાલો બહુ લાગે, હરિનામ જપનાર; 

નામ જપે તો થાય છે, જ્ઞાન હરિમાં પ્યાર...૦૫ 

વીંછી કરડ્યો હોય તો, આખી રાત જગાય; 

તેમ ઊંઘ આળસ તજી, જ્ઞાન ભજો હરિરાય...૦૭ 

ગાફલાય ન જ રાખવી, જપવામાં હરિનામ; 

જ્ઞાન નામ જપે તેનાં, હરિ કરે છે કામ...૦૮ 

જ્ઞાન ખબર નો’તી તેથી, થોડાં જ લીધાં નામ; 

મહિમાની ખબર હોત તો, નામ લેત આઠું જામ...૦૯ 

સ્વામિનારાયણ નારાયણ, જપજો પ્રેમે સહિત; 

જ્ઞાન આ લોકે પરલોકે, થાશે તમારું હિત...૧૦ 

જ્ઞાન જેણે કરવું હોય, નિજનું તરત કલ્યાણ; 

તેણે સતત હરિ સમરવા, જાણી સુખની ખાણ...૧૧ 

સંતો મુક્તો અવતારો, સ્મરણનો મહિમા ગાય; 

જ્ઞાન સ્મરણ જે કરે તે, અતિશે સુખી થાય...૧૨ 

રાજી થઇને મહારાજે, આપ્યું પોતાનું નામ; 

સ્વામિનારાયણ જપજો, જ્ઞાન કરીશ તવ કામ...૧૩


રચયિતા : પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામ

સં.૨૦૮૦, અષાઢ સુદ-૧૧ તા.૧૭/૦૭/૨૦૨૪, કુંડળધામ